Advertisements

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી | PM Vishwakarma Kaushal Samman Yojana In Gujarati

Advertisements

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, કોને લાભ મળશે, અધિકૃત વેબસાઈટ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, હેલ્પલાઈન નંબર (PM Vishwakarma Kaushal Samman Yojana In Gujarati, Online Apply,Official Website, Helpline Number)

ભારત દેશ નાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ રજૂ કર્યું હતું, જે બજેસત્ર માં નાણામંત્રી દ્વારા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જે જાહેરાતમાં સરકાર દ્વારા વિશ્વકર્મા સમુદાય ખૂબજ મહત્વ ની કલ્યાણકારી યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે આ યોજનાને પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નામ આપ્યું છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અંતર્ગત વિશ્વકર્મા (સુથાર)સમાજ હેઠળ આવતી 140 જેટલી જ્ઞાતિઓને પેટા જ્ઞાતિઓ ને આવરી લેવામાં આવશે. જેમાં આ યોજનામાં શું ખાસ લાભ લા,અને આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય શું છે, જેવી તમામ બાબતો ની આજ નાં આ પોસ્ટ મા જાણીએ. આજની આ યોજના મા આપણે જાણીશું કે “પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે” અને “PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં કેવી રીતે અરજી કરવી.” અને શું શું લાભ હશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023

Table of Contents

યોજના નું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023
સહાય વિશ્વકર્મા સમાજ ના લોકો ને કામ ની તાલીમ અને ધંધો ચાલુ કરવા માટે સરકારી સહાય
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ વિશ્વકર્મા સમાજ ના લોકો આર્થિક ક્ષેત્ર આગળ આવી શકે અને તેઓ નાં સમાજ માં બેરોજગારી નું પ્રમાણ ઘટાડવું.
લાભાર્થીવિશ્વકર્મા સમાજ ના કુલ140 જાતિઓ
અરજી નો પ્રકાર ઓફલાઈન
સંપર્ક હાલ કોઈ અધિકૃત વેબસાઈટ નથી

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023 શું છે (What is PM Vishwakarma Kaushal Samman Yojana)

PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એટલે કે “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના” હેઠળ દેશ નાં વિશ્વકર્મા સમાજ ના લોકો માટે આપડા નાણા મંત્રી શ્રી નિર્મળા સીતારમણ જી એ વર્ષ 2023-24 માટે ની બજેટ રજૂ કર્યું તેમાં આ યોજના અંગે ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત એવા લોકો ને ખુબજ મોટાપાયે લાભ આપવા આવશે કે જેઓ સુથારી કામ જોડે સબંધ ધરાવે છે.એટલે જે આ યોજના નું નામ ભગવાન શ્રી વિશ્વકર્મા પર થી રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જાતિઓ આવે છે, જેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં રહે છે. યોજના હેઠળ, આ સમુદાયોના લોકોને તેમની કુશળતા વધારવાની તક આપવામાં આવશે, તેમને ટેક્નોલોજી શીખવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને નાણાકીય સહાય પણ આપશે. આ યોજના હેઠળ પરંપરાગત કારીગર અને ક્રાફ્ટ કાર માટે કેન્દ્રીય બજેટમાં નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

વધું વાંચો- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નો હેતુ

સરકારના મત મૂજબ કામદાર ગમે તે ક્ષેત્રનો હોય, તેમાં તેનું કૌશલ્ય હોવું જરૂરી છે. ઘણી વાર એવું થાય છે કે કારીગરોને યોગ્ય તાલીમ મળતી નથી અને જની પાસે અનુભવ છે તેઓ ની પાસે પૂરતા પૈસા હોતા નથી. આવી પરિસ્થિતિ માં તેઓ ન તો પોતાનું જીવન નિર્વાહ શકે છે અને ન તો તે સમાજની પ્રગતિનો ભાગ બની શકે છે. તેથી જ સરકાર દ્વારા આવા કારીગરો માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરવામાં આવી છે.

કારણ કે આ યોજના અંતર્ગત આવા કારીગરો ને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે અને જેમની પાસે પૈસા નથી તેવા લોકોને પણ સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે. આ રીતે તાલીમ અને આર્થિક મદદ મેળવ્યા બાદ વિશ્વકર્મા સમાજના લોકો આર્થિક રીતે મજબૂત બનશે અને સમાજ અને દેશની પ્રગતિમાં યોગદાન આપશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લાભ

આ યોજના પૂરા દેશ માં લાગુ કરવામાં આવશે.જા દેશ નાં વિશ્વકર્મા સમાજ ના લોકો કેવા કે સુથાર, લુવાર, હસ્તકળા સમાજ,બુધેલ, પંચાલ વગેરે જેવા તમામ સમાજ ને આ યોજના નો લાભ આપવામા આવશે.

આ યોજના અંતર્ગત એવા તમામ કારીગરોને તેઓના કામ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે અને જો તેઓ કામમાં પારંગત થઈ ગયા હોય તો ધંધા માટે સરકારી લોન પણ આપવામાં આવશે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ યોજના દ્વારા વિશ્વકર્મા સમાજના લોકોને રોજગારી મળી રહેશે અને તેઓમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું થશે.

આ યોજના દ્વારા વિશ્વકર્મા સમુદાયના લોકોને કામની ટ્રેનિંગ મળશે અને પૈસા મળશે જેથી તેઓની આર્થિક પરિસ્થિતિમાં ઘણો જ સુધાર થશે.

આ યોજના થી દેશના વિશ્વકર્મા સમાજ ની મોટા પ્રમાણમાં આબાદી ને ફાયદો થશે.

યોજના હેઠળ જાહેર કરાયેલ નાણાકીય સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને MSME મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે.

સીતારમણજીના જણાવ્યા અનુસાર, હાથથી વસ્તુઓ તૈયાર કરતા લોકોને પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ની પાત્રતા (Eligibility)

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશના નાગરિક હોવા જરૂરી છે

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી વિશ્વકર્મા સમુદાય ની 140 જાતિઓમાંથી એક હોવા જરૂરી છે.

આ યોજનાનો લાભ લેવા માટે જણાવ્યા મુજબના તમામ દસ્તાવેજો હોવો જોઈએ.

અન્ય વાંચો – અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

Advertisements

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ડોક્યુમન્ટસ (Documents)

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હમણાં લોન્ચ કરવામાં આવેલ હતી એટલે આ યોજના માં નીચે મુજબના તમામ આધાર પુરાવા રજૂ કરવાનો હોય છે.

  • લાભાર્થીનું આધાર કાર્ડ.
  • લાભાર્થીનું ચૂંટણી કાર્ડ.
  • લાભાર્થી રેશનકાર્ડ.
  • લાભાર્થીનો રહેણાક અંગે ના પુરાવા.
  • લાભાર્થી ને જરૂર મુજબ છે કામમાં પરંતુ હોય તેના આધાર પુરાવા.
  • લાભાર્થીનો મોબાઈલ નંબર.
  • લાભાર્થી નું ઈમેલ આઇડી.
  • લાભાર્થી ના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ.

વધું વાંચો – સિલાઈ મશીન યોજના 2023

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અરજી પ્રક્રિયા (Application Prosess)

વર્ષ 2023 માં આપણા દેશના નાણામંત્રી નિર્મળા સીતારમણ બજેટ બહાર પાડ્યું હતું. જેમાં દેશના વિશ્વકર્મા સમાજના લોકો માટેની પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરવામાં આવી છે. એટલે કે આજના માટે હાલ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની અરજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ નથી કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.

એટલે આ યોજનામાં અરજી પ્રક્રિયાની પ્રક્રિયા વિશે હાલ કોઈપણ પ્રકારની જાણકારી અમારી પાસે છે નહીં. જેવી સરકાર દ્વારા અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું જ અમારા દ્વારા આપ સૌને આ યોજના અંતર્ગત અરજી પ્રક્રિયાની સંપૂર્ણ સ્થાન કરી આપવામાં આવશે.

અન્ય વાંચો – માનવ ગરીમા યોજના

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેલ્પલાઈન નંબર (HelpLine Number)

આ યોજનામાં અત્યારે અરજી કરવાની પ્રક્રિયા વિશે ન તો સરકાર દ્વારા કોઈ માહિતી કે સ્પષ્ટતા આપવામાં આવી છે, ન તો કોઈ અધિકૃત વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે, અને ના તો કોઈ  પ્રકાર ના હેલ્પલાઈન નંબર કે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે જારી કરવામાં આવ્યો છે. તેથી હવે તમારે હેલ્પલાઇન નંબર મેળવવા માટે થોડી રાહ જોવાની રહેશે.જેવું સરકાર દ્વારા અપડેટ્સ આપવામાં આવશે અમે અહીંયા તમામ માહિતી આપને આપીશું.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ અહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2022

બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય

સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2022

“FAQ”

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના કયા વર્ષ મા લોન્ચ કરવામાં આવી?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વર્ષ 2023 માં લોન્ચ કરવામાં આવી છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ભારત દેશ નાં નાણાં મંત્રી નિર્મળા સીતારમણ દ્વારા વર્ષ 2023 નાં બેજેટ માં બહાર પાડવામાં આવી હતી.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં કોને લાભ આપવામાં આવશે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં દેશ નાં વિશ્વકર્મા સમાજ ના શિલ્પકારો ને લાભ આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં કેટલી વિશ્વકર્મા સમાજ ની કેટલી જાતિઓ ને લાભ મળશે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માં ટોટલ 140 જેટલી વિશ્વકર્મા સમાજ ની જાતિઓ ને લાભ આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની ની અધિકૃત વેબસાઈટ બહાર પાડવામાં આવેલ નથી.

Leave a Comment