Advertisements

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી। Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana forms,Details In Gujarati.

Advertisements

હાલ મા કોરોના જેવી ભયંકર મહામારી એ બધા લોકો નુ જીવન અસ્થ વ્યસ્થ કરી નાખ્યુ છે. એવા મા હમણા જે કોરોના ની બીજી લહેર ગઇ હતી તેમા તો ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હતા. અને જેની પાસે પૈસા ની સગવડ ના હોઇ તેવા લોકો ને બહુ જ મોટી જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ હજુ ઘણા લોકો ને ખબર નથી કે ગુજરાત સરકાર મા “મુખ્યમંત્રી અમૃતમ મા અને વાત્સ્લ્ય યોજના:” અમલ મા મુકાયેલી છે. તો ચલો જાણીયે આ યોજના વિશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મુખ્યમંત્રી અમૃતમ મા યોજના” ૨૦૧૨ થી અમલ મા આવેલ છે. આ યોજના મા જે લોકો ગરીબી રેખા (BPL)હેઠળ જીવન જીવતા પરિવારો માટે જ હતી. પરંતુ ૨૦૧૪ મા આ યોજના ને વધારે ને જે મધ્યમ વર્ગ મા આવે તેવા પરિવારો માટે જેમ ૫ વ્યક્તિ છે તેવા કુટુંબ માટે “મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના” અમલ મા મુકેલ હતી.

આ યોજના હેઠળ ઘણા ગરિબ પરિવારો ને ખુબજ મદદ મળેલ છે. અને તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાના મા તદન મફત સારવાર લઇ સકે છે.

યોજના નું નામ મુખ્યમંત્રી અમૃતમ “મા” અને મા વાત્સલ્ય યોજના
સહાયયોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ નો મેડીકલ સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગુજરાત રાજ્ય નાં ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને મેડિકલ વીમો એટલે કે કોઈપણ રોગ ની સારવાર મફત મળે તે હતું થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ગરીબ(BPL) અને મધ્યમ ના લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક તમારા સિટી માં તાલુકા આરોગ્ય કચેરી અથવા જિલ્લા આરોગ્ય કચેરી
મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી

Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana મા કેટલી સહાય મળે છે.

Table of Contents

આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

વધું વાંચો:- આયુષ્યમાન ભારત કાર્ડ નાં ફાયદાઓ

Eligibility of Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana

  • મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના નો લાભ ગુજરાત મા વસવાટ કરતા ગરીબી રેખા(BPL) નીચે જીવન જીવતા પરિવારો ને મળે છે.
  • “મા વાત્સલ્ય” કાર્ડ યોજના નો લાભ મધ્યમ વર્ગ ના પરિવારો ને મળે છે કે જેઓ ની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે તેઓ ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • “મા વાત્સલ્ય” યોજના નો લાભ સાલ 2018 થી ગુજરાત સરકાર આરોગ્ય શાખા મા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ વર્ગ‌‌-3 ને અને આશા વર્કર(ASHA) બેહનો ને મળવા પાત્ર છે.
  • આ યોજના નો લાભ જેઓ ની ઉમર 60 વરસ કરતા વધારે છે કે જેઓ સિનિયર સિટિજન મા આવે છે અને તેઓ ની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે છે.તેવા બધા લોકો ની આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • રાજ્ય ની કોઇ પણ શાખા મા ફિક્સ 5 વરસ મા નોકરી કરતા રાજ્ય સરકાર ના તમામ કર્મચારીઓ ને Maa Vatsalya Yojana નો લાભ મળવાપાત્ર છે.
  • ગુજરાત મા જે તમામ માન્ય પત્રકારો છે તેઓ ને આ યોજના નો લાભ મળે છે.

વધું વાંચો :- યુનિક ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” માટે આધારપુરાવા Ma Yojana and Vatsalya Yojana  Document

  • મા કાર્ડ માટે જે પરિવારો BPL મા આવતા હોઇ તેઓ ગામ ના તલાટીમંત્રી પાસે થી BPL નો દખલો રજુ કરવાનો રહેશે.
  • બારકોડ વાળુ રેશનિંગ કાર્ડ (રેશનિંગ કાર્ડ મા વધુ મા વધુ 5 વ્યક્તિ નો સમાવેશ)
  • આ યોજના નો લાભ કુટુંબ ના વધુ મા વધુ 5 વ્યક્તિઓ ને જ મળે છે.
  • પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • પરિવાર મા જે 5 વ્યક્તિઓ ને લાભ આપવો હોઇ તેમના બધા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.
  • આશા બેહનો માટે જો તેઓ ગામડા મા ફરજ બજાવતા હોઇ તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના મેડિકલ ઓફિસર નુ પ્રમાણપત્ર.
  • આશા બેહનો માટે જો તેઓ શહેરી વિસ્તાર મા ફરજ બજાવતા હોઇ તો તેઓ ના અર્બન હેલ્થ ઓફિસર નુ પ્રમાણપત્ર.
  • રાજ્ય સરકાર મા ફરજ બજાવતા તમામ ફિક્સ કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ને તેઓ નુ નિમણૂક પત્ર અને સંબંધિત કચેરી ના વડા પાસે થી પ્રમાણપત્ર.
  • પત્રકારો માટે તેઓ ને માહીતી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરિકે નુ પ્રમાણપત્ર.

વધું વાંચો:- ટીબી તબીબી સહાય યોજના

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” માટે આવક કેટલી જોઇશે

મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના માટે BPL વાળા પરિવારો ને લાભ મળે છે.જેમા આવક ની જરૂર હોતી નથી.

“મા વાત્સલ્ય” યોજના માટે 4 લાખ ની વાર્ષિક આવક મર્યાદા છે.દાખલો ફક્ત 3 વર્ષ જ માન્ય રહેશે.

maa card online apply gujarat (માં કાર્ડ માટે અરજી કરો)

આ યોજના નો લાભ લેવા માટે ગામડા વાળા ને તેમના તાલુકા મા તાલુકા આરોગ્ય કચેરી પર જવાનુ હોઇ છે. જ્યા તેઓ બધા ડોક્યુમેંટ રજુ કરવાથી તેઓ ને ત્યા મા કાર્ડ કાઢી આપે છે.

વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો.

વધું વાંચો:- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

Ma Amrutam Card Disease List In Gujarati

આ યોજના ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ લાગુ કરેલ હતી જેમા ગરિબ પરિવારો ને મેડીકલ સહાય મળી રહે તે હેતુ થી આ યોજના નો અમલ કરેલ હ્તો.

સરકાર સાથે જે હોસ્પિટલ એ કરાર કરેલ હોઇ છે તેવી બધી હોસ્પિટલ મા આ યોજના થી સારવાર મળે છે.

  1. કેંસર ની બિમારી માટે.
  2. હદય ને લગતી તમામ બિમારિઓ માટે(બાયપાસ સર્જરી, એંજિઓગ્રાફી,સ્ટેંટ-સ્પ્રિંગ બેસાડવા માટે)
  3. કિડ્ની સંબંધિત તમામ રોગો.
  4. મગજ ના અને કરોડરજ્જુ ના તમામ રોગો.
  5. ગંભીર અકસ્માત એન તેની ઇજાઓ માટે.
  6. નવજાત શિશુ ને કોઇ પણ રોગ માટે9(3 વર્ષ ની ઉમર સુધી જ)
  7. બળવુ કે દાજી જવાના કિસ્સા મા સારવાર.

Ma Amrutam Card Hospital List In Gujarat pdf

નોંધ-

  • આ યોજના મા દર્દી ને સરકાર તરફ થી તમામ ખર્ચ મફત મળે છે જેમા દર્દી હોસ્પિટલ મા દાખલ થાય ત્યારે તેમની હોસ્પિટલ ચાર્જ ,લેબોરેટરી ચાર્જ,સર્જરી ચાર્જ,નિદાન ચાર્જ અને દવાઓ, થી લઇ ની બધો જ ખર્ચો સરકાર ઉઠાવે છે. અને દર્દી ને હોસ્પિટલ જવા માટે ભાડા પેટે 300 રૂપિયા આપવામા આવે છે.
  • આ યોજના મા દર્દી ને જેટલો ખર્ચ થાય છે એ સરકાર તરફ થી સિધો હોસ્પિટલ ને ચુકવામા આવે છે તેમા દર્દી એ કોઇપણ પ્રકાર ના પૈસા ચુકવવાના હોતા નથી.
  • આ યોજના મા 12-5-2021 થી રાજ્ય તરફ થી કોરોના ની સારવાર માટે પણ મા કાર્ડ લાગુ કરેલ હતુ.જેમા જે દર્દી કોરોના ની સારવાર લઈ રહ્યા છે  તેઓ પણ મા કાર્ડ નો ઉપયોગ કરી સકશે.
  • જે હોસ્પિટલ મા દર્દી સારવાર લઇ રહેલ છે તેવી હોસ્પિટલ ને મહતમ 50,000 સુધી ની મફત સારવાર મેળવી સકશે.જેમા દવાઓ,લેબોરેટરી,ઇંજેકશન, ડૉક્ટર નો ચાર્જ જેવી વસ્તુઓ નો સમાવેશ થાય છે.

વધું વાંચો:- કેન્સર તબીબી સહાય

Maa Card Helpline Number Gujarat

યોજના ની વધુ મહિતી માટે આપ તાલુકા આરોગ્ય કચેરી નો સંપર્ક કરી શકો છે.

શહેરી વિસ્તાર માટે અર્બન હેલ્થ સેંટર  મા સંપર્ક કરી શકો છો.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” Toll Free Number 1800-233-1022

Advertisements

વધારે મહિતી માટે:-www.nrhm.gujrat.gov.in

નિષ્કર્ષ

મા અમ્રુતમ અને વાત્સલ્ય યોજના થી ઘણા પરિવારો ને આર્થીક લાભ મળેલ છે.જેથી ગુજરાત સરકાર નો લોકો ઘાણો આભાર મને છે અને આ Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana ના ની પોસ્ટ તમને કેવી લાગી અ જણાવશો અને વધારે મા વધારે સેર કરજો.

વધું વાંચો:-

કોરોના મૃત્યુ સહાય યોજના

ઈ શ્રમ કાર્ડ ના ફાયદાઓ

ખેડૂત મોબાઈલ ફોન યોજના

“FAQ” For મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

આ યોજના ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજનાં માં કોને લાભ મળે છે?

આ યોજના માં ગરીબ BPL અને મધ્યમ વર્ગ નાં લોકો ને લાભ મળે છે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના માં શું લાભ મળે છે?

આ યોજના માં લાભાર્થી ને કોઈપણ રોગ ની સારવાર કરવા માટે 5 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના માં ઘર નાં કેટલા વ્યક્તિ કાર્ડ કઢાવી શકે છે ?

આ યોજના માં ઘર માંથી વધુ માં વધુ 5 વ્યક્તિઓ આ કાર્ડ કઢાવી શકે છે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના માટે ક્યાં અરજી કરવાની હોઈ છે ?

આ યોજના માટે આપે તાલુકા આરોગ્ય કચેરી અથવા જિલ્લા આરોગ્ય કચેરી પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

11 thoughts on “મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી। Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana forms,Details In Gujarati.”

Leave a Comment