Advertisements

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી, ફોર્મ pdf ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, લાભાર્થી યાદી, શહેરી અને ગ્રામીણ | Pradhan Mantri Awas Yojana In Gujarati

Advertisements

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી, ફોર્મ pdf ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, લાભાર્થી યાદી, શહેરી અને ગ્રામીણ લાભાર્થી 2023 નું લીસ્ટ જાહેર થઈ ગયેલ છે. (Pradhan Mantri Awas Yojana In Gujarati, Online Apply, Documents, Beneficiary List, Eligibility) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ બજેટ 2023 માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકારે અર્બન વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તાર માટે ખૂબ જ મોટાપાયે બજેટ સમાવેશ કરેલ છે. કેન્દ્રીય બજેટ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના પર એકંદરે રૂ. 79,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત હેઠળ ની તમામ વસ્તુઓની વિગતવાર વાત કરવાના છીએ. જેમાં આ યોજનાની અરજી કેમ કરવી, ડોક્યુમેન્ટ કયા કયા જોડવા, પાત્રતા શું હોય, શેરી વિસ્તારમાં શું જોગવાઈ છે, ગ્રામીણ વિસ્તારમાં શું જોગવાઈ છે. કઈ રીતે લાભ મળશે કેટલી કેટેગરીમાં લાભ મળે છે? તમામ વસ્તુઓની આજના આ આર્ટિકલમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી, ફોર્મ pdf ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, લાભાર્થી યાદી, શહેરી અને ગ્રામીણ

પ્રધાનમંત્રી આવાસ 2023, ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, લાભાર્થી યાદી, શહેરી અને ગ્રામીણ

Table of Contents

યોજના નું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2023-24
સહાય3.50 લાખ રૂપિયા
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો પોતનું પાક્કું મકાન બનાવી શકે છે.
લાભાર્થીદેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
ઓફલાઈન
સંપર્ક નજીક નાં CSC સેન્ટર પર
ઑફીસિયલવેબસાઈટ પર
નગરપાલિકા કચેરી
મહાનગર પાલિકા કચેરી

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છેપ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. 

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. સમજણ અને યોજનાઓની વિગત દ્વારા આજના 2022 સુધીમાં ઘણા ઘરે પરિવારોને પાકા મકાન બાંધી આપવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે વર્ષ 2024 સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવેલ છે.જેમાં પાકાં મકાનોનો કુલ લક્ષ્યાંક પણ સુધારીને 2.95 કરોડ મકાનો કરવામાં આવ્યો છે.

અન્ય વાંચો – પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

પ્રધાનમંત્રી આવાસ યોજના કઈ રીતે કામ કરે છે ?

તમે ધારો કે તમે MIG-II શ્રેણીમાં આવો છો (એટલે કે તમારી કુલ ઘરની આવક રૂ. 12-18 લાખની વચ્ચે છે). તમે 50 લાખ રૂપિયાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો. તમારી ન્યૂનતમ ડાઉન પેમેન્ટ 20% હશે, એટલે કે રૂ. 10 લાખ, અને તમે બાકીની રૂ. 40 લાખની રકમ લોન દ્વારા ગોઠવી શકો છો.

જો કે, PMAY 2022 હેઠળ, MIG-2 કેટેગરીના અરજદારો રૂ. 12 લાખ સુધીની લોન પર 3% સબસિડી માટે પાત્ર છે. તેથી, બાકીની 28 લાખ રૂપિયાની લોન માટે, તમારે ધિરાણકર્તાને નિયમિત (બિન-સબસિડી વગરના) વ્યાજ દરો ચૂકવવા પડશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ (PMAY Benefits)

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મળવા પાત્ર રકમમાં વધુ જાણીએ તો ટોટલ 3,50,000 ની મકાન બનાવવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે.

આ 3.50 લાખ રૂપિયાની સહાયમાં 1.5 લાખ રૂપિયા ની સહાય કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવે છે અને 2 લાખ રૂપિયા ની સહાય રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવે છે.

અન્ય વાંચો- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

PMAY માં ક્યાં રાજ્યો ને વધુ લાભ મેળવેલ છે 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આમ તો દેશના ઘણા રાજ્યોમાં લાભ મેળવેલ છે. પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓરિસ્સા રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સૌથી વધારે લાભ મેળવીને ગરીબોને પાક્કા મકાન બનાવી આપેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા (PMAY Eligibility) 

  • જ્યાં મકાન બાંધવાનું હોય તે પ્લોટ ના માલિક અરજદાર પોતે જ હોવા જોઈએ.
  • અરજદારના પરિવારના કોઈ પણ સભ્ય દેશના કોઈ પણ ખૂણે પાકુ મકાન ધરાવતા ન હોવા જોઈએ.
  • અરજદાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના કોઈપણ ઘટકમાં સરકારની બીજી અન્ય કોઈ યોજનામાં લાભ ન લીધેલ હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
  • આ યોજના હેઠળ આવાસ પરિવારમાં મુખ્ય સ્ત્રીનું નામ અથવા તો પરિવારમાં મુખ્ય પુરુષ અને સાથે સંયુક્તમાં તેઓની પત્નીનું નામ હોવું જરૂરી છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ મકાન બાંધવા સમયે NBC ના કોર્ડ અને GDCR મુજબ નું મકાન બાંધવા નું રહેશે.

અન્ય વાંચો – અટલ પેન્શન યોજના ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી માટેની પાત્રતા 

EWC અરજદાર

  • EWC લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 3 લાખ હોવી જોઈએ.
  • ઘરની પરિવારમા સહ માલિકી મહિલા જોડે હોવી જરૂરી છે.
  • યોજના નો લાભ લેવા માટે પતિ પત્ની અને તેમના બાળકોને મળશે.

LIG ઉમેદવારો

  • LIG લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 3 લાખ હોવી જોઈએ.
  • ઘરની પરિવારમા સહ માલિકી મહિલા જોડે હોવી જરૂરી છે.
  • યોજના નો લાભ લેવા માટે પતિ પત્ની અને તેમના બાળકોને મળશે.

(MIG 1/MIG 2) ઉમેદવારો

  • MIG 1 માટે લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા ની વચ્ચે જોઈએ. 
  • MIG 2 માટે નાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 12 લાખ થી 18 લાખ રૂપિયા ની વચ્ચે હોવી જોઈએ.
  • ઘરની પરિવારમા સહ માલિકી મહિલા જોડે હોવી જરૂરી છે.
  • યોજના નો લાભ લેવા માટે પતિ પત્ની અને તેમના બાળકોને મળશે.
  • MIG I હેઠળ લાભાર્થી ઉમેદવારો 4% ની સબસિડી મેળવી શકે છે. અને MIG II હેઠળ ઉમેદવારને 3% સબસિડી મળી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આપ સબસીડીના હકદાર છો એ 2.3 લાખ રૂપિયા છે. એટલે કે 12 લાખ રૂપિયાની લોન હોય તો તેમાંથી 2.3 લાખ રૂપિયા કાપી આપવામાં આવશે. આપને 9.7 લાખ રૂપિયા ઉપર હપ્તો આપવામાં આવશે. એટલે કે સ્પષ્ટ ભાષામાં આપને અમે જણાવીએ તો સબસિડી ઉધાર લેનારના ખાતામાં અગાઉથી જમા થાય છે, જે અસરકારક હોમ લોનની રકમ અને EMI રકમ ઘટાડે છે.

અન્ય વાંચો- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) – PMAY

પ્રધાનમંત્રી આવાસ યોજનાની તકો પૂરી પાડવા માટે ભારત માં સૌથી મહત્વની બાબતોમાં એક છે કે મર્યાદિત પૈસા અને પોસાય તેવા મકાનોની ઉપલબ્ધતા. મોટી સમસ્યાનો સામનો કરવા માટે સરકારે હોમ લોન ઉપર વ્યાજ સબસીડી આપવાની જરૂરિયાત ઊભી કરી છે જેને ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) લાવી હતી, જેથી શહેરી ગરીબો કાં તો પોતાનું ઘર બનાવી શકે અથવા ઘર બનાવી શકે.

ઇન-સીટુ સ્લમ રીડેવલપમેન્ટ (ISSR) – PMAY

ઇન-સીટુ રિડેવલપમેન્ટ સ્કીમનો ઉદ્દેશ્ય જમીનનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને વંચિત સ્થિતિમાં રહેતા લોકોને મકાનો આપીને ખાનગી સંસ્થાઓ સાથે મળીને ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન કરવાનો છે.

જ્યારે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ લાભાર્થીનું યોગદાન નક્કી કરશે, ત્યારે મકાનોની કિંમતો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.

Advertisements

પ્રધાન મંત્રી આવાસ યોજના આવાસ બનવાની જગ્યા 

આ યોજના હેઠળ ખાલી પ્લોટ ધરાવતા અરજદારોએ 30 ચોરસ કાર્પેટ વિસ્તાર સુધી નું જ પાકું મકાન બનાવી શકે છે. એટલે કે લાભાર્થીઓને 30 ચોરસ કારપેટ વિસ્તાર સુધીનું મકાન બાંધવા માટે જ સરકારશ્રી દ્વારા 3.50 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.

પ્રથમ શ્રેણીમાં આવતા ઓછી આવક ધરાવતા લોકોનો કાર્પેટ એરિયા 120 ચોરસ મીટર હતો, જેને સરકારે હવે 1 ઘરનો કાર્પેટ એરિયા વધારીને 160 ચોરસ મીટર કરી દીધો છે.

બીજી શ્રેણીમાં આવતા મધ્યમ આવક ધરાવતા લોકોનો કાર્પેટ એરિયા અગાઉ 150 હતો, જેને સરકારે વધારીને 200 ચોરસ મીટર કર્યો છે.

અન્ય વાંચો- આંબેડકર આવાસ યોજના ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના વાર્ષિક આવક મર્યાદા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જેમાં પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ તેવા પરિવારોને લાભ આપવામાં આવશે.

પ્રધાન મંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ્સ (PradhanMantri Avas Yojana Documents List Gujarat)

  1. લાભાર્થીનું આધાર કાર્ડ.
  2. લાભાર્થીનું ચૂંટણી કાર્ડ.
  3. લાભાર્થી ના બેંક ખાતાની વિગતો.
  4. મકાન બનાવવાનું હોય તે પ્લોટ નો દસ્તાવેજ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/7/12 ની. નકલ.
  5. લાભાર્થી પરિવારના વાર્ષિક આવકનો દાખલો.
  6. લાભાર્થીના પરિવાર એ ભારતભરમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન ન ધરાવતા હોઈએ તેનું રૂપિયા 50 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ.
  7. જમીન સંયુક્ત માલિકીની હોય તો અન્ય માલિક પાસેથી ન વાંધા માટેનું સંમતિ પત્રક રૂપિયા 50 ના સ્ટેમ્પ ઉપર.
  8. પ્લોટનું ફોટોગ્રાફ જેમાં અરજદાર ઉભેલો હોવો જોઈએ
  9. અરજદાર ના પાસપોર્ટ સાઇઝના 10 ફોટોગ્રાફ

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ pdf 

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તેઓની ગ્રામ પંચાયત કચેરી ખાતે સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવવાનું રહેશે.

શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને એટલે કે જિલ્લા અને તાલુકા માં વસતા લોકો ને નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કચેરીએ સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવવાનું રહેશે.

અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ મહાનગરપાલિકા માં વસતા લોકો એ સ્લમ અપગ્રેડેશન કચેરી પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય વાંચો- જન્મ મરણ નાં દાખલા ઓનલાઈન મેળવો

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ( How To Online Apply Pradhanmantri Avas Yojana Gujarat)

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડામાં વસવાટ કરતા લાભાર્થીઓને આ યોજના માટે અરજી કરવાની હોય તો તેવા લોકો માટે સરકાર દ્વારા આ યોજનાની એક એપ્લિકેશન બનાવવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ( How To Online Apply Pradhanmantri Avas Yojana Gujarat)

એપ્લિકેશન દ્વારા લાભાર્થી પોતાના ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.

આ એપ્લિકેશનનું નામ આવાસ યોજના એપ્લિકેશન આપવામાં આવેલ છે. Play store માંથી ડાઉનલોડ કરીને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે.

એપ્લિકેશન ખોલ્યા બાદ તેમાં તમારા મોબાઈલ નંબર દ્વારા લોગીન થવાનું હોય છે.

જેમાં તમારી અંગત માહિતી તમારા પ્લોટ ની માહિતી તમારા ઘરની માહિતી ભરીને તમારો પ્લોટ નો અને મકાનના વિવિધ સ્ટેજ નો ફોટો ભરીને આપ વધુ માહિતી મેળવી.

વધુમાં આપને કેટલા આપતા મળ્યા છે ને કેટલા બાકી છે તેની પણ માહિતી આ એપ્લિકેશન દ્વારા જાણી શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે અરજી કેવી રીતે કરવી ( How To Online Apply Pradhanmantri Avas Yojana Gujarat)

જો આપ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય અને પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માટે અરજી પ્રક્રિયા શરૂ નથી કરી તો આપ નીચે આપેલ માહિતી દ્વારા ફટાફટ અરજી કરી શકો છો.

સૌપ્રથમ આપે google પર જઈને પ્રધાનમંત્રી આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in ઉપર જવાનું રહેશે.

વેબસાઈટના હોમ પેજ ઉપર જ citizen assessment મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

અરજદાર તેનું આધાર કાર્ડ દાખલ કરશે. એકવાર આધાર નંબર સબમિટ થઈ જાય, તે/તેણીને એપ્લિકેશન પેજ પર લઈ જવામાં આવશે.

PMAY અરજદારે આ પૃષ્ઠ પર આવકની વિગતો, વ્યક્તિગત વિગતો, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી માહિતી સહિત તમામ જરૂરી વિગતો દાખલ કરવા માટે આગળ વધવું આવશ્યક છે.

ત્યારબાદ અરજદારોએ “Situ Slum Redevelopment” પર ક્લિક કરશો એટલે નવું પેજ ઉપર કરશે જ્યાં નવું પેજ ખુલી જશે.

જા હવે તમારી સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓનલાઈન અરજી ખુલી જશે જ્યાં તમારે તમારી તમામ માહિતી નામ ઉંમર આવક પ્લોટ ની માહિતી મકાનની માહિતી પરિવારની માહિતી તમામ વસ્તુઓ ઓનલાઇન ભરવાની રહેશે.

એટલે મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરી શકો છો કોઈ પણ ભૂલ કરતા નહીં કોઈને અથવા તો કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે જઈને અરજી કરાવજો જેથી કંઈ પણ ભૂલ ન થાય.

અન્ય વાંચો- સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી

જો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે આપ ઓફલાઈન અરજી કરવા માગતા હોય તો આપ ઉપર દર્શાવેલ કોઈપણ એક જગ્યાએથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે.

એ ફોર્મ આખું ભરવાનું રહેશે તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને કોઈ પણ નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC ઉપર જઈને ઓફલાઈન અરજી કરી શકો છો.

PMAY લાભાર્થીનું લિસ્ટ એટલે PMAY યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું? 

સરકાર SECC 2011 ડેટાના આધારે લાભાર્થીઓની વાર્ષિક યાદી બહાર પાડે છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટ માં તમારું નામ કે નહીં તે તપાસવા માટે નીચે આપેલ સ્ટેપ્સને અનુસરો.

મંત્રી આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

જ્યાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

સ્ટેટસ ચેક કરવા માટે સબમીટ બટન પર ક્લિક કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વપૂર્ણ ગ્રામીણ વિકાસ યોજનાઓમાંની એક છે. જો તમે આ યોજના હેઠળ ઘર મેળવવા માંગતા હોવ અને જો તમે પાત્ર છો, તો વાર્ષિક લાભાર્થીની યાદી પર નજર રાખો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે જાણવું ?

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે અરજી કરી છે તે અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.

ટોટલ બે રીતે તમારી અરજી નું સ્ટેટસ જાણી શકો છો

એક રીતે નામ અને તમારા પિતાનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો

અથવા તો તમારું એસેસમેન્ટ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો.

વધું વાંચો- Agneepath yojana recruitment 2022 | અગ્નિપથ યોજના 2022

SLNA યાદી કેવી રીતે તપાસવી

મંત્રી આવાસ યોજના ની SLNA નું લિસ્ટ તપાસવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.

ત્યાં હોમપેજ ઉપર જ આપને SLNA નો મેનુ દેખાશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.

વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારી સામે SLNA list pdf ખુલશે. ત્યાંથી ઉમેદવારો સંબંધિત માહિતી સરળતાથી ચકાસી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના બેંક યાદી

તમે કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, હાઉસિંગ ફાયનાન્સ કંપની, સ્ટેટ કોઓપરેટિવ બેંક, અર્બન કોઓપરેટિવ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક અથવા MoHUA દ્વારા ઓળખાતી અન્ય કોઈપણ સંસ્થા પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના હેઠળ સબસિડીવાળી લોન મેળવી શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી કેલ્ક્યુલેટર

આ યોજનાની લાભ મેળવવા બાદ સબસીડી ની કેલ્ક્યુલેશન કરવા માટે તેની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.

જ્યાં પેજ ઉપર સબસીડી કેલ્ક્યુલેટર પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં નવું પેજ આપની સમક્ષ ત્યાં તમારે સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે.

તમામ માહિતી ભરીને ફોર્મ ને સબમિટ કરવાનું રહેશે.

અને ત્યારબાદ આપ સબસીડી કેલ્ક્યુલેટર તપાસી શકો છો.

અન્ય વાંચો- સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઈન નંબર

પ્રધાનમંત્રી આવાસ યોજના ની સંપૂર્ણ માહિતી આજના આર્ટિકલમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. પરંતુ જો આ યોજના માટે આપને અન્ય કોઈ સહાયતા મેળવી હોય તો તો ઉમેદવારો હેલ્પલાઈન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકે છે

હેલ્પ લાઈન નંબર:- 011-23060484, 011-23063620, 011

Video Credit:- VTV Gujarati News Youtube Channel

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

PMAY અધિકૃતિ વેબસાઈટ અહીંયા ક્લિક કરો
PMAY ગ્રામીણ વેબસાઈટ અહીંયા ક્લિક કરો
PMAY અર્બન એપઅહીંયા ક્લિક કરો
PMAY લાભાર્થી અરજી સ્ટેટ્સ અહીંયા ક્લિક કરો
PMAY સબસીડી કેલ્ક્યુલેટર અહીંયાં ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

અન્ય વાંચો-

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા જાણો સંપૂર્ણ માહિતી અહીંયા

GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

“FAQ”

પ્રધાનમંત્રી આવાસ યોજના માં લાભાર્થીઓ ને સબસીડી કઈ રીતે મળે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના માં વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતા લઅરજદારો 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4% સબસિડી મળે છે. અને તેવી જ રીતે જે અરજદારો એ વાર્ષિક આવક રૂપિયા 18 લાખ છે તેમને 12 રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજનો લાભ મળશે. લાખ મળશે.

પ્રધાન મંત્રી આવાસ યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના ની અધિકૃત વેબસાઈટ https://pmayg.nic.in છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના કયારે શરૂ કરવામાં આવી છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવાનો હેતુ શું હતો?

પ્રધાન મંત્રી આવાસ યોજના થી ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો પોતાનું ઘર મેળવી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નો હેલ્પ લાઈન નંબર શું છે ?

પ્રધાન મંત્રી આવાસ યોજના માટે નો હેલ્પ લાઈન નંબર 011-23060484, 011-23063620, 011 23063285

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ની વાર્ષીક આવક મર્યાદા જેટલી છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જેમાં પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ તેવા પરિવારોને લાભ આપવામાં આવશે.

Leave a Comment